નવી દિલ્હી: નાગરિકતા કાયદા (Citizenship Amendment Act 2019)  પર પ્રદર્શન હજુ ચાલુ છે. આસામ (Assam) માં પણ ભારે પ્રદર્શન થયું હતું. ભડકેલા આક્રોશને કારણે પીએમ મોદી (PM Narendra Modi) અને જાપાનના પીએમ શિંજો  આબેનું આસામમાં જે શિખર સંમેલન યોજાયું હતું તેને પણ રદ  કરવું પડ્યું હતું. પરંતુ કેન્દ્ર સરકારના એક જ નિર્ણયે સમગ્ર આસામની તસવીર બદલી નાખી છે. કોકરાઝારમાં લોકોએ પોતાની ખુશી વ્યક્ત કરતા ગુરુવારે રસ્તાઓ અને શેરીઓમાં માટીના દીવડા પ્રગટાવ્યાં. ઓલ બોડો સ્ટુડન્ટ યુનિયન (ABSU)એ કોકરાઝારમાં બાઈક રેલી પણ કાઢી. પીએમ મોદીના સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...